Sitting under the mistletoe

Sitting under the mistletoe
(Pale-green, fairy mistletoe), 
One last candle burning low, 
All the sleepy dancers gone, 
Just one candle burning on, 
Shadows lurking everywhere: 
Some one came, and kissed me there.
—Walter de la Mare (1873-1956)

Leave a comment

Filed under Uncategorized

ઇનોફિલિયા : મદ્યપ્રેમ / પરેશ વ્યાસ

  • ઇનોફિલિયા : મદ્યપ્રેમ


ઇનોફિલિયા : મદ્યપ્રેમ                                             . 1 - image
– સમજ્યા, જાણ્યાં કે માણ્યા વગર સસ્તો દારૂ વિપુલ માત્રામાં ઢીંચી જનાર વ્યક્તિ વાઈનો કહેવાય. પણ જે દારૂને જાણે, માણે અને સમજે એને ઇનોફાઇલ  કહે છે

पीत्वा पीत्वा पुनः पीत्वा,यावत् पतति भूतलोउत्थाय व पुनः पीत्वा,पुनर्जन्म न विधते ।।- चार्वाक दर्शन પી ઓ, પીઓ, ફરી પીઓ. ત્યાં સુધી પીઓ જ્યાં સુધી (મસ્તીમાં મૂર્છિત થઈને) ભૂમિ ઉપર પડી ન જાઓ. ફરી ઊઠો, ફરી પીઓ, (કારણ મૃત્યુ પછી) પુનર્જન્મ છે જ નહીં. ચાર્વાક માનતા કે મૃત્યુ પછી કાંઈ છે જ નહીં. અરે ભાઈ! જેનો કોઈ પુરાવો નથી એ વાત કેવી રીતે મનાય? આત્મા અને શરીર કાંઇ જુદા નથી. ઈશ્વર અને કર્મની થીયરી બકવાસ છે. સુખવાદ એ જ સાચો વાદ છે. દેવું કરીને પણ ઘી પીઓ. મોજમાં રહો. આ દુનિયા અને આ જીવન અહીં જ છે. જન્મ્યા પહેલાં કાંઈ નહોતું. મર્યા બાદ પણ કાંઈ નથી. અને આજે વર્ષ ૨૦૨૫નો છેલ્લો દિવસ છે. કાલથી નવું વર્ષ ૨૦૨૬. આજે અમોઘ ઉજવણી, મદહોશ મસ્તી અને જાલિમ જલસો. દારૂની રેલમ છેલ. દારૂ પીવો કાંઈ સારી વાત છે? રાજ્યનો નશાબંધી વિભાગ રેડિયો ઉપર જાહેરાત કરે છે. નશો કરવાની ના પાડે છે. પોલિસ આખી રાત રોન મારે છે. પિયક્કડોને ઝભ્ભે કરે છે. પણ શોખીન લોક સાંભળતા નથી. સરકાર જો કે સમજુ છે. ભલે ડ્રાય સ્ટેટ છે પણ સમાચાર છે કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં પરપ્રાંતીય દેશી  અને પરદેશીઓને સરકારે લાગટ છૂટ આપી દીધી છે. પરદેશી પરદેશી જાના નહીં..! પીવામાં કોઈ પરમિટ જરૂરી નહીં. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ! પરમિટ માટે મર મિટ- જેવી વાત જ નહીં. ગિફ્ટ સિટીમાં બગીચાની લૉન કે મકાનની અગાસી પર દારૂ હવે પીરસી શકાય છે. ગિફ્ટ સિટીની ન્યૂ યર ગિફ્ટ!  દારૂ પીનારા માટે ઇંગ્લિશ ભાષામાં બે શબ્દો છે. એક છે વાઇનો(Wino). સમજ્યા, જાણ્યાં કે માણ્યા વગર સસ્તો દારૂ વિપુલ માત્રામાં ઢીંચી જનાર વ્યક્તિ વાઈનો કહેવાય. પણ જે દારૂને જાણે, માણે અને સમજે એને ઇનોફાઇલ (Oenophile) કહે છે. અને એનો મદ્યપ્રેમ એટલે ઇનોફિલિયા (Oenophilia). આજના શબ્દનો ઉચ્ચાર કોઈ ફરી ફરીને ઊથલો મારતા રોગના નામ જેવો લાગે પણ ઇનોફિલિયા એ રોગનું નામ નથી. વીસમી સદીની શરૂઆતમાં આ શબ્દ વધારે પડતા દારૂ પીવાની ટેવ વિશે વપરાતો હતો. તે સમયે શબ્દનો સ્પેલિંગ  ‘Oinophilia’  હતો. મૂળ ગ્રીક શબ્દ ઓઇનોસ (Oinos) એટલે દારૂ, મદ્ય, મદિરા, શરાબ. અને ફાઈલ (Phile) એટલે પ્રેમી, શોખીન, પસંદ કરવાવાળો. ઈનોફિલિયા એટલે દારૂપ્રેમી. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતી લેક્સિકન ડિક્સનરીએ બીકના માર્યા આ શબ્દનો અર્થ આપ્યો નથી. ક્યાંક પોલિસ પકડી જાય તો? જસ્ટ જોકિંગ! પણ હા, ગુજરાતી લેક્સિકનમાં  એનોચો (Oenochoe) એવો શબ્દ છે, જેનો અર્થ-સુરાપાત્ર, દારૂની પ્યાલી-  દર્શાવ્યો છે.  અમે ડરતા નથી! અમે વર્ચ્યુઅલ સુરાપ્રેમમાં શૂરા અને પૂરા છીએ. અમે શબ્દનાં ઘૂંટ પીએ છીએ, પીવડાવીએ છીએ. એ ય એક નશો છે. હેં ને? આજનો શબ્દ અને એના સ્પેલિંગની પાછળ એક કહાણી છે. ન્યૂયોર્કની એક રેસ્ટોરાંની માલિકણ અને વાઈનવિદ્વાન(!) શર્લી મેકકોપર એક એવા શબ્દની શોધમાં હતી, જેમાં વાઈન માટે સાચા પ્રેમની વાત હોય. કોઈ મઝાનો માહોલ, સ્વાદ અને સુગંધના ચાહકોની મહેફિલ અને પીનારો માપસર મદિરાનું સેવન કરે, ઘૂંટ ઘૂંટમાં જાણે કે ઘટ ઘટનો પ્રેમ. અને પછી જલસો!  શર્લી અને એના પતિએ દારૂડિયા માટેના મૂળ શબ્દના સ્પેલિંગમાં ‘i’ ની જગ્યાએ ‘e’ મૂકીને મદિરાપાનનો આખો સંદર્ભ બદલી નાંખ્યો. આમ પણ માફકસર પીવું અને પીને છાકટા થવું -એમાં ફેર હોય છે. માપમાં મદિરા પીવા વિષે અને મદિરા પીવાની રીતભાત વિષે વિશેષ જ્ઞાન અને વિધ વિધ મદિરાને દિલથી ચાહવાની તલપ એટલે ઇનોફિલિયા. અહીં મદિરાનું અસ્તિત્વ માત્ર ગટગટાવી જવા પૂરતું સીમિત નથી. એનો રંગ વૈભવ, એની છટા, એને ગાળવાની પદ્ધતિનો વિસ્તૃત અભ્યાસ અહીં છે. જે આલ્કોહોલિઝમ (મદ્યવશતા/દારૂ પર પરાધીનતા) દર્શાવે છે એ શબ્દ ‘વાઇનો’થી આ શબ્દ જુદો છે. ‘ઇનોફાઈલ’ અને ‘વાઇનો’ બંને મદિરા સેવન કરે છે પણ ફેર છે. એક એન્જોય (આનંદ) કરે છે. બીજો એબ્યુઝ(દુષ્પ્રયોગ) કરે છે. શરાબ લાજવાબ છે. કહે છે કે શરાબ જવાબ છે પણ સવાલ શું હતો?- એ હું  ભૂલી ગયો છું! દારૂના મુખ્ય બે પ્રકાર છે. માત્ર આથો લાવીને તૈયાર થયો હોય એ દારૂ એટલે વાઇન. રેડ, વ્હાઇટ, સ્પાર્કિંગ વગેરે. આલ્કોહોલનું પ્રમાણ પણ ઓછું હોય. સ્વાદ પણ ફળફૂલ જેવો હોય. પણ આથો લાવ્યા પછી જેનું નિસ્યંદન (ડિસ્ટિલેશન) થયું હોય એ લીકર અથવા સ્પિરિટ. વ્હીસ્કી, રમ, વોડકા વગેરે. સ્વાદ કડવો હોય અને આલ્કોહોલનું પ્રમાણ પણ વધારે હોય. ટૂંકમાં તમામ વાઇન આલ્કોહોલ છે પણ તમામ આલ્કોહોલ વાઇન નથી. આજનો લેખ દારૂના પ્રેમ વિષે છે એટલે હું નહીં કહું કે દારૂ પીનેસે લીવર ખરાબ હો જાતા હૈ! આજે ફાયદા કહીશ. હૃદય દુરસ્ત રહે છે, ભૂલવાની બીમારી આવતી નથી, પાચનતંત્ર સુધરે છે, લાંબુ જીવાય છે. એક જ શરત. સ્ત્રીએ રોજનું ૧૫૦ મી.લી. અને પુરુષે ૩૦૦ મી. લી.થી વધારે પીવું નહીં. આ અઘરું..   ગાલિબ કહેતા કે શરાબ તો છોડી દીધી પણ તો પણ, પી લઉં છું ક્યારેક ક્યારેક. ક્યારે? જ્યારે રોજ-એ-અબ્ર (વાદળવાળો દિવસ) હોય કે શબ-એ-માહતાબ (ચંદ્રવાળી રાત) હોય ત્યારે. ક્યારેક! આજે વર્ષનાં છેલ્લાં દિવસે આકાશમાં વાદળ પણ હશે. પૂનમની રાતને  હજી ત્રણ દિવસની વાર છે પણ આકાશમાં નજર કરશો તો થોડો છોલાયેલો ચાંદો ય આજ રાતે દ્રષ્ટિગોચર થશે. ઇનોફાઇલ વ્યક્તિએ જો ક્યારેક પીવું હોય તો આજે સારો દિવસ છે. ‘વાઇનો’ થવું હિતાવહ નથી. પોલિસ પકડી જાય. શબ્દ શેષ’ દારૂ એ બોટલમાં ભરેલી કવિતા છે.’ 

– સ્કોટિશ લેખક રોબર્ટ લૂઈ સ્ટીવન્સન 

Leave a comment

Filed under Uncategorized

Statins…mhthaker

  • 1. Introduction to Statins
    • Statins are widely prescribed drugs to lower cholesterol and prevent heart attacks.Common examples: Atorvastatin, Simvastatin, Rosuvastatin.
    2. Concerns About Safety
    • Statins are effective but not 100% safe. Long-term use can lead to hidden side effects.
    3. Side Effects Highlighted
    • Muscle pain & weakness – common complaint among users.Sleep issues & cognitive problems – including memory loss and confusion. Severe risks: Rhabdomyolysis (muscle breakdown) and kidney damage. Diabetes risk – increased chance of developing type 2 diabetes. Liver damage – potential harm to liver function.
    4. Natural Alternatives
    • The video suggests homeopathic remedies and lifestyle changes as safer options.Focus on foods, herbs, and natural treatments to lower cholesterol and improve heart health. Promotes a holistic approach suitable for people of all ages.
    5. Practical Advice
    • Be aware of side effects before continuing statin use. Consider natural methods like diet, exercise, and homeopathy for managing cholesterol. Consult a doctor before making medication changes
    original message
  • In this episode of The Joe Rogan Experience, Joe Rogan interviews Dr. Aseem Malhotra, a consultant cardiologist from the UK known for his advocacy in lifestyle medicine and his critical views on pharmaceutical influence in healthcare.
    • Background and Shift in Focus: Dr. Malhotra discusses his transition from an Interventional Cardiologist (performing heart surgeries and stenting) to focusing on preventative medicine. He shares how witnessing poor nutritional advice in hospitals, like serving junk food to heart patients, initially spurred his activism .The “Statin Saga” and Cholesterol: A major portion of the discussion centers on the over-prescription of statins. Dr. Malhotra argues that the benefits of statins are often exaggerated and the side effects (like muscle pain and fatigue) are underreported in medical literature . He challenges the long-standing “cholesterol-heart disease” hypothesis, suggesting the correlation is much weaker than typically claimed .Systemic Corruption in Medicine: He highlights what he calls the “psychopathic determinants of health”—the way powerful commercial entities prioritize profit over patient outcomes . He cites an editorial from the editor of The Lancet stating that half of all published medical literature may be untrue COVID-19 Vaccine Concerns: Dr. Malhotra discusses his personal journey regarding the COVID-19 vaccines. Initially a supporter, he became a critic after his father’s unexpected death and subsequent research into the vaccine’s safety data and efficacy. He expresses concern over mandates, coercion, and the lack of transparency regarding side effects .Call for Reform: He advocates for an “inquiry” into medical practices, stating that “honest doctors can no longer practice honest medicine” under the current system . He stresses the importance of lifestyle changes—such as diet and exercise—over long-term medication for many patients.
    Conclusion: The conversation is a broad critique of the modern healthcare system, urging for more transparency, a focus on root causes rather than symptoms, and a reduction in the influence of Big Pharma on medical guidelines and research.
    2nd video:  This video provides a critical alert regarding a massive recall of Atorvastatin, a common generic version of the cholesterol-lowering drug Lipitor, and discusses the broader implications for drug safety.  The recall serves as a reminder for patients to stay vigilant. If a long-term medication feels less effective or causes new side effects, it should be reported to a pharmacist or the FDA’s Med Watch program
  • mhthaker
  • https://youtu.be/CV-Qbbl_e6o
  • https://youtu.be/h-8oCaSHQr0
  • https://youtu.be/EZx6EfaJM8I

Leave a comment

Filed under Uncategorized

ભજન :ચાકડો

  • ભજન :ચાકડો
    કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
    ધણી ઘડે જૂજવા રે ઘાટ,
    વાગે  રે અણદીઠા એના હાથની
    અવળી સવળી થપાટ—કાચી.

    વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
    કરમે  લખિયા  કાં  કેર?
    નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
    ઝાળું  સળગે  ચોમેર—કાચી.

    વેળા  એવી  વીતી  રે વેદન તણી
    ઊકલ્યાં અગનનાં અસ્નાન,
    મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
    પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

    હરિએ હળવેથી  લીધા  હાથમાં,
    રીજ્યા  નીરખીને   ઘાટ,
    જીવને  ટાઢક  વળી તળિયા  લગી
    કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.
    કવિ નાથાલાલ દવે, ભાવનગર. કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩.       

    રસ દર્શન…મુનિભાઈ મહેતા.
    જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવી એટલે જાણે કાચી માટીમાંથી બનાવેલો ઘડો. ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, “મારે કેમ આવા દુખ? કરમનાં ચાકડે ચડવાનું, નિંભાડામાં દુખની જ્વાળાઓમાં શેકાવાનું.” એવાં દુખ આવે કે જાણે એમાંથી ક્યારેય પાર નહીં ઉતરાય. “હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?”

    પણ, દુખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. અનુભવોમાંથી નીકળતો, આત્મજ્ઞાન પામતો – ‘नष्ट मोह स्म्रुति लब्धा’ની વાત જાણે સમજતો જાય છે. સુખ-દુખનો સામનો કરી, પુરૂષાર્થથી માર્ગ કાઢે છે.
    કવિવર રવિન્દ્રનાથે લખ્યું છે –
    “એ જીવન પુણ્ય કરો દહત – દાને.
                                     વ્યથા મોર ઊઠબે જવલે ઉર્ધ્વ – પાને.

                                  દાહનું દાન દઈને આ જીવન પવિત્ર કરો,
                                  મારી વ્યથા ઉર્ધ્વમુખ બનીને પ્રજળી ઊઠશે.

    ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે…
     “હરિએ હળવેથી લીધા હાથમાં,
    રીજ્યા નીરખીને ઘાટ,
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તેં અમથા ઉચાટ.” 
     
    એવું કહીને જીવન જીવ્યાનો, સુખ-દુખથી ઘડાયાનો આનંદ અને સંતોષ સૂચવી જાય છે. અને મનમાં ઓછપ આણ્યા વગર, ઉચાટ કર્યા વગર જીવન જીવવા જેવું છે – માણવા જેવું છે…એવો અનહદ નાદ સૂણાવી જાય છે. અસ્તુ.
    pragnaju's avatarpragnaju
    કવિ નાથાલાલ દવેનુ અમારા જેવા અનેક ચાહકોનું પ્રિય ભજનઃ ચાકડો
    મા મુનિભાઈ મહેતાનુ સ રસ રસ દર્શન
    ધોમધખતા ઉનાળામાં પણ માટીના વાસણમાં ભરેલુ પાણી ૨૪ કલાક ઠંડુગાર રહેતુ હોય છે. જે એક કુદરતે માટીમાં મુકેલી કુદરતી દેણ છે.કાચી માટીના કણમાંથી કલાને નિખારતા ચીકણી માટી વડે બનતા વિવિધ પ્રકારના વાસણોની સદા માંગ રહે છે. દિવસે દિવસે તેમાં અનેક ફેરફારો થતા રહ્યા હોય અતિ આધુનિક વસ્તુઓને કલાના કારીગરો આખરી ઓપ આપતા હોય છે.’વેળા એવી વીતી રે વેદનતણી’ -જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન …આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી
    સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને
    તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !
    કાચી માટીના ઘડુલીયા !!
    થયું કે આ કાવ્યમાં કેટલી તાકાત ભરી છે ! કેવા શબ્દોથી કામ લીધું છે ! કાવ્યમાં જે ક્રમ–ગતી–વીકાસ છે તે તો ખાસ ધ્યાન ખેંચે છે.
    હમણાંથી ચારેકોર ભગવાનની વીરુદ્ધમાં જે વાતો ચાલી રહી છે ત્યારે –
    “વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકડે
    કર્મે લખીયા કાં કેર ?
    નીંભાડે અનગળ અગ્નિ ધગધગે
    ઝાળુ સળગે ચોમેર..” તથા
    “આ હરિએ હળવેથી લીધા હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ”
    વાણીનો કેવો જાદુ છે !
    જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી
    SARYU PARIKH's avatarSARYU PARIKH
    પ્રિય પ્રજ્ઞાબેન,
    જ્યારે મામાનું આ કાવ્ય પ્રકાશિત કરતી હતી ત્યારે તમને સતત યાદ કરતી હતી. થોડા વર્ષ પહેલા તમે મારી પાસે શોધાવીને દાવડાના આંગણાંમાં મૂકાવ્યું હતું. મુનિભાઈના લખાણ સાથે ફરી એકવાર…આનંદ સાથ આભાર.
  • વાગે રે અણદીઠા એના હાથની થપાટશબ્દ રચના : નાથાલાલ દવે (ભાવનગર)
    સ્વર  : પીયૂષ દવે
    સંગીત સ્વરાંકન : જયંતીભાઈ પટેલ
    સંકલન પ્રસ્તુતિ : પીયૂષ પ્રેમ– Namaste.
    Saryu Parikh  સરયૂ પરીખ 

Leave a comment

Filed under Uncategorized

ભજનો…

Leave a comment

Filed under Uncategorized

સ્લોપ : ઇન્ટરનેટનો એંઠવાડ

સ્લોપ : ઇન્ટરનેટનો એંઠવાડ .

સ્લોપ : ઇન્ટરનેટનો એંઠવાડ                                                                       . 1 - image

– શબ્દસંહિતા – પરેશ વ્યાસ
– સાચા કલાકાર, ફિલ્મ મેકરની દશા માઠી છે. લોકોને ખબર પડતી નથી કે સાચું શું છે? 

ખોટું શું છે? 

તે પંથીની ઉપર કચરો, ફેંકતાં ફેંકી દીધો,

 નીચે આવ્યો તન ઉપર, ને તૂર્ત ફેલાઈ જાતાં,  

 પેલો પંથી તરફડી રહ્યો, શ્વાસ રૂંધાઈ જાતાં.                                                                           

– નિમશ ઠાકર 

‘ફ્ લેટને ત્રીજે માળથી’ પ્રતિકાવ્યમાં અજાણ્યાં રાહદારી ઉપર ફેંકાયેલા કચરાની કહાણી છે. કચરો ક્યાં જાય છે? એની ચિંતા કોઈને નથી. આજનો શબ્દ ઘન મિશ્રિત પ્રવાહી કચરાની ફેંકાફેંકીની વાર્તા છે. ફરક એટલો કે આ ફેંકાફેંકી ઓનલાઈન છે, જેની અસર તળે જેઓ તરફડે છે, જેઓના શ્વાસ રૂંધાય છે, એ આપણે છીએ. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘સ્લૉપ’ (જીર્નૅ) એટલે ઢોળાવું, ઢોળાવા દેવું, ઊભરાવું, ઊભરાઈ જવા દેવું, છાલક, ખાળનું ગંદુ પાણી, રસોડાનો એંઠવાડ, રાતના કૂડામાં ભેગા કરેલા મળમૂત્ર, ભૂખ ઉઘાડે નહીં એવું પ્રવાહી. સમાન ઉચ્ચાર પણ જોડણી અલગ એવો શબ્દ જીર્નૅી (ઢાળ, ઢોળાવ) સાથે આ શબ્દને કોઈ સંબંધ નથી. ભૂંડનાં ખોરાકને ‘પિગ સ્લૉપ’ કહે છે. થેન્ક્સ ટૂ સ્વચ્છ ભારત મિશન, ખુલ્લી ગટર હવે લગભગ નથી, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થઇ, કચરો પણ હવે પડયો રહેતો નથી. ભૂંડ પણ હવે નથી. પણ એક સમય એવો પણ હતો જ્યારે ભૂંડ કે ડુક્કર શેરીમાં ફરતા, ગંદકી ફેલાવતા, ગંદકી ખાતા. મ્યુનિસિપાલિટી ભૂંડ પકડવાના પરવાનો આપતી પણ ભૂંડની વસ્તી કેમેય કરીને કમ નહોતી થતી. હવે એવી સ્થિતિ નથી. એટલે શબ્દ તરીકે ભૂંડના ખોરાક ઉર્ફે ‘સ્લૉપ’ પણ બોલચાલની ભાષામાં જાણીતો નથી. પણ તો ય વર્ષ ૨૦૨૫ના સરતાજ શબ્દોની યાદીમાં આ શબ્દ આવી ગયો. ઓસ્ટ્રેલિયાની મક્વારી ડિક્સનરીએ ‘એઆઈ સ્લાપ’ અને બ્રિટિશ મેગઝીન ધ ઈકોનોમિસ્ટ-એ ‘સ્લૉપ’ શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કરી દીધા. શેરીમાં કચરો ખાતા અને ગંદકી ફેલાવતા ભૂંડ હવે ઇન્ટરનેટ પર આવી ચઢયાં છે, વધી રહ્યા છે. એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) એને માટે જવાબદાર છે. એક ભાઈએ ગૂગલ એઆઈને પૂછયું કે મારા પિત્ઝા પર ચીઝ ચોંટતું નથી. શું કરું? ગૂગલે જવાબ આપ્યો કે બિન-ઝેરી ગ્લૂ (સરેસ/ગુંદર) લગાડો. ચૂટકીમેં ચીપકાયે! એઆઈ તો રોબોટ છે. એ તો અગાઉનાં ડેટા પરથી ઉત્તર શોધી આપે છે. જો કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલનું પુનરાવર્તન થાય છે. કોઈ ટીખળીબાજે ભૂતકાળમાં રેડ્ડિટ પર ગ્લૂ લગાડવાની વાત લખી હતી. એઆઈએ એ પકડી લીધું અને પછી એવું કહી દીધું. આ બુદ્ધિમત્તા તો કૃત્રિમ છે. એઆઈ એવું પણ કહે છે કે સૂર્ય સામે ૩૦ મિનિટ્સ સુધી સતત જોઈ શકાય અને રોજ એક પથ્થર ખાઓ તો તમારી લોહતત્ત્વની કમી દૂર થઇ શકે. લો બોલો! ઈન્ટરનેટનો એંઠવાડ બિંદાસ્ત હરીફરી રહ્યો છે. ભૂંડની વસ્તીની પેઠે એનું પ્રજનન થઇ રહ્યું છે. ઇન્ટરનેટનો અનુભવ હવે પૂંઠૂં ચાવવા જેવો થઇ ગયો છે. ન કોઈ સ્વાદ, ન કોઈ સુગંધ અને એકનું એક. આ સ્લોપ છે. અહીં સ્પીડ અને ક્વોન્ટિટી છે. ક્વોલિટી નથી. સારું કે ઉત્કૃષ્ટ દઈ શકાય એવી કોઈ કાર્યનીતિ પણ નથી. 

એઆઈ સર્જિત ડિજિટલ ઈકોનોમી છે આ. રાતોરાત નિમ્ન સ્તરનું પુષ્કળ કન્ટેન્ટ (ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો,વિડીયો) ઇન્ટરનેટ પર આવી જાય છે. એવું ય બન્યું કે યૂ-ટયુબની કેટલીક ચેનલ પૂર્ણતઃ એઆઈ સર્જિત થઈ ગઈ છે. યૂ-ટયુબમાંથી જાણે ‘યૂ’ ગાયબ થઈ ગયું.  એકવાર તમે એ જુઓ  એટલે ઈન્ટરનેટ તમને એવી ને એવી ચેનલ જોવાની ભલામણ કરતું રહે છે. ટિકટોક, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ આ એંઠવાડને ટાળવા કે ખાળવા કાંઈ કરતા નથી. અમે એવું માનીએ છીએ કે તેઓ જાણી જોઈને આવું કરે છે.  પેલા શેરીમાં રખડતાં અને માનવમળ સહિતનો કચરો ખાતા ભૂંડ પાળવા જેવું જ બિઝનેસ મોડેલ છે આ. જેમ ભૂંડની પ્રજનન શક્તિ અમર્યાદ છે તેમ જ એઆઈની મદદથી સર્જાયેલા અવાસ્તવિક, અજીબોગરીબ ટૂંકા વિડીયો અપાર છે. દાખલો આપતા હિંદુસ્તાન ટાઈમ્સ લખે છે કે મંકી વ્લોગર નામથી એઆઈ જનરેટેડ વિડીયોમાં વાંદરો માણસની જેમ વાત કરે છે, બનારસના ઘાટ પાર તો ક્યારેક કુંભમેળામાં. એ જ વાંદરો બજારમાં ખરીદી પણ કરે છે. આ વીડિયો ૧૧ લાખ લોકો જોઈ ચૂક્યા છે. સાચા કલાકાર, ફિલ્મ મેકરની દશા માઠી છે. લોકોને ખબર પડતી નથી કે સાચું શું છે? ખોટું શું છે? એઆઈને કારણે ડીપફેઇક ફોટાઓ અને મિસઇન્ફર્મેશન કથાઓ અઢકળ  છે. ભૂંડની વસ્તી વધી રહી છે. એઆઈની મદદથી સર્જાતા કન્ટેન્ટ કમાણીનું સાધન છે. પાપડ બનાવવા જેવો ગૃહઉદ્યોગ છે. અમેરિકા, ચીન કે ભારતના કન્ટેન્ટ મેકર્સ મહિને પચાસ હજાર રૂપિયા આસાનીથી રળી લે છે. જરૂરી છે માત્ર એક સ્માર્ટ ફોન અને એની આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ. ર.પા.ની કવિતાનો આધાર લઈને કહું તો આપણી ખોતર ખોતર કરવાની ટેવ આપણને નડી રહી છે. આપણો સમય બગડે છે એટલું જ નહીં પણ આપણી એકાગ્રતા ઘટી રહી છે. ખોટી માહિતી ફેલાઈ રહી છે. આપણાં બાળકો ટાર્ગેટ બની ગયા છે. આ એંઠવાડ આખી પેઢીને બરબાદ કરી નાંખે તેમ છે. 

શું કરવું? આપણે સ્માર્ટ ફોનનાં બંધાણી છીએ એટલે સાવ બંધ તો ન થાય પણ સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો. થોડી પોતાની બુદ્ધિ વાપરો તો ખ્યાલ આવી શકે કે આ કન્ટેન્ટ એઆઈ સર્જિત છે કે માનવબુદ્ધિ સર્જિત છે? પ્રતિક્રિયા આપતા પહેલાં કે ફોરવર્ડ કરતા પહેલા ચકાસો કે આ માહિતી સાચી છે કે ખોટી? ગૂગલ રીવર્સ ઇમેજ સર્ચ કે અન્ય ટૂલનો ઉપયોગ કરી શકાય. નકામા કન્ટેન્ટને મ્યુટ કે બ્લોક કરી શકાય. રીપોર્ટ પણ કરી શકાય. જો તમે એઆઈની મદદથી ખુદ સર્જક બની જાઓ તો તમારા કન્ટેન્ટને અપલોડ કરતા પહેલાં કહી દેવું કે આમાં એઆઈની મદદ લીધી છે. સાચું ખોટું રામ જાણે. 

એઆઈ સ્લૉપ સાધારણ કન્ટેન્ટ છે. એનો પ્રચારપ્રસાર અસાધારણ નુકસાન કરશે. તુચ્છતાને ત્યાગો. જાગો માણસ જાગો.

શબ્દશેષ

‘તુચ્છતાથી વધારે દારુણ, અપમાનજનક અને નિરાશામય બીજું કાંઇ નથી.’ 

– એન્તોન ચેખોવ 

+

Slope, sometimes referred to as gradient in mathematics, is a number that measures the steepness and direction of a line, or a section of a line connecting two points, and is usually denoted by m. Generally, a line’s steepness is measured by the absolute value of its slope, m. The larger the value is, the steeper the line. Given m, it is possible to determine the direction of the line that m describes based on its sign and value:

  • A line is increasing, and goes upwards from left to right when m > 0
  • A line is decreasing, and goes downwards from left to right when m < 0
  • A line has a constant slope, and is horizontal when m = 0
  • A vertical line has an undefined slope, since it would result in a fraction with 0 as the denominator. Refer to the equation provided below.

Slope is essentially the change in height over the change in horizontal distance, and is often referred to as “rise over run.” It has applications in gradients in geography as well as civil engineering, such as the building of roads. In the case of a road, the “rise” is the change in altitude, while the “run” is the difference in distance between two fixed points, as long as the distance for the measurement is not large enough that the earth’s curvature should be considered as a factor. The slope is represented mathematically as:

m = y2 – y1x2 – x1

In the equation above, y2 – y1 = Δy, or vertical change, while x2 – x1 = Δx, or horizontal change, as shown in the graph provided. It can also be seen that Δx and Δy are line segments that form a right triangle with hypotenuse d, with d being the distance between the points (x1, y1) and (x2, y2). Since Δx and Δy form a right triangle, it is possible to calculate d using the Pythagorean theorem. Refer to the Triangle Calculator for more detail on the Pythagorean theorem as well as how to calculate the angle of incline θ provided in the calculator above. Briefly:

d = √(x2 – x1)2 + (y2 – y1)2

The above equation is the Pythagorean theorem at its root, where the hypotenuse d has already been solved for, and the other two sides of the triangle are determined by subtracting the two x and y values given by two points. Given two points, it is possible to find θ using the following equation:

m = tan(θ)

Given the points (3,4) and (6,8) find the slope of the line, the distance between the two points, and the angle of incline:

m = 8 – 46 – 3 = 43

d = √(6 – 3)2 + (8 – 4)2 = 5

43 = tan(θ)
θ = tan-1(43) = 53.13°

While this is beyond the scope of this calculator, aside from its basic linear use, the concept of a slope is important in differential calculus. For non-linear functions, the rate of change of a curve varies, and the derivative of a function at a given point is the rate of change of the function, represented by the slope of the line tangent to the curve at that point.

Leave a comment

Filed under Uncategorized

વ્હોટ ઇફ્સ: જો અને તો /પરેશ વ્યાસ

हुई मुद्दत कि ‘ग़ालिब’ मर गया पर याद आता है                                                                                                                                      वो हर इक बात पर कहना कि यूँ होता तो क्या होता                                                                                                                                      -मिर्ज़ा ग़ालिब

હાર્યા. અથવા એમ કહો કે જીતી ન શક્યા. લોર્ડસ ટેસ્ટ. સિરાજે બરાબર ડીફેન્ડ તો કર્યો પણ નીચે પડેલો દડો ચકરી ખાઈને સ્ટમ્પને અડ્યો અને બેઇલ્સ ગબડી. ઈએસપીએનના સમાચારનું શીર્ષક હતું: ઈન્ડિયા પોન્ડર્સ ‘વ્હોટ ઈફ્સ’ આફ્ટર લોર્ડ્સ હાર્ટબ્રેક. લોર્ડ્સની દિલતોડ હાર પછી ભારતે ‘વ્હોટ ઇફ્સ’ (What ifs) પર મનન કર્યું. જીતની તક હતી. સોફ્ટ ડ્યુક બોલ, ડેડ પિચ, ઇંડિયન ફેન્સ ક્રાઉડ. પૂછડિયાં ખેલાડીઓ સાથે રમતા રવીન્દ્ર જાડેજાએ આક્રમક રમ્યો હોત તો? પંત રનઆઉટ ન થયો હોત તો? ચોથા દિવસે ભારતનો સ્કોર ૪૧/૧ હતો એ અંતે ૫૮/૪ ન થયો હોત તો? ટોપ ઓર્ડર બેટ્સમેન જયસ્વાલ, નાયર અને ગીલ સસ્તામાં ન આઉટ થયા હોત તો? આખરી દિવસે બેટિંગ કરવી અઘરી હોય છે ત્યારે ભારતે પહેલી ઇનિંગમાં જ લીડ લીધી હોત તો? યૂં હોતા તો ક્યા હોતા?!! 

જીવનમાં અનેક અનિશ્ચિતતા છે, સંદેહ કે શંકા પણ છે. વ્યગ્રતા, બેચેની કે ઈંતેજારી પણ છે. અને ત્યારે આવો કાલ્પનિક સવાલ આપણે આપણી જાતને પૂછીએ છીએ. જો આવું થયું હોત તો? અથવા આવું થશે તો? તુમ હોતી તો ઐસા હોતા, તુમ હોતી તો વૈસા હોતા, તુમ ઇસ બાત પે હૈરાન હોતી, તુમ ઇસ બાતપે કિતની હસતી વગેરે વગેરે અનેક સિલસિલાત્મક સવાલોની સિચ્યુએશન્સ. દિનેશ કાર્તિકે સ્કાય સ્પોર્ટ્સ પર કીધું કે સ્ટમ્પ્સ ઉપરની બેઇલ્સ જો ઝિંગર હોત તો હળવેથી સ્ટમ્પ્સને અડેલા દડાથી એ પડી ન જાત અને મોહમ્મદ સિરાજ આઉટ ન થાત. ક્રિકેટ નેક્સ્ટ પર અનિલ કુંબલેએ કહ્યું કે રવીન્દ્ર જાડેજાએ થોડું જોખમ લઈને ચોગ્ગા છગ્ગા મારવાની જરૂર હતી. પૂછડિયાં ખેલાડીઓ સાથે એ ઠચૂક ઠચૂક રમ્યો એટલે  હાર્યા. આ ટીપ્પણીઓ ભૂતકાળની ઘટનાના વિવરણમાં માટે હતી. ભવિષ્યકાળની ઘટના માટે પણ પૂર્વમાનિત કે સંભાવ્ય સવાલો હોઈ  શકે. જેમ કે આગામી ટેસ્ટ મેચમાં ત્રીજા ક્રમે બેટિંગ માટે કરૂણ નાયરને ચાલુ રાખવો કે પછી સાંઇ સુદર્શનને પાછો બોલાવવો? 

શું ‘વ્હોટ ઇફ્સ’ સવાલો પૂછવા સારી વાત છે? તો એનો ઉત્તર એ કે એ સારું પણ છે અને ખરાબ પણ. કૂટપ્રશ્નનો ઉકેલ શોધવામાં ‘વ્હોટ ઇફ્સ’ મદદ કરે છે. પ્રેમના ઇઝહારથી મોટો બીજો કયો કૂટપ્રશ્ન હોઇ  શકે? ફિલ્મ ‘રંગીલા’નું ગીત યાદ છે? ક્યા કરે યા ના કરે, યે કૈસી મુશ્કિલ હાય, કોઈ તો બતા દે ઉસકા હલ ઓ મેરે ભાઈ!  મુન્ના(આમીર ખાન)એ મિલી જોશી(ઊર્મિલા માતોન્ડકર)ને કહી દેવું છે કે પ્રેમ છે, પણ એવું કહેતા એ ડરે છે. ફિરભી કહા નહીં, વજાહ ઇનકી હૈ વહી, બસ ઇનકાર સે હમકો થા ડર.. બસ આખી ફિલ્મ આ વ્હોટ ઇફ્સ પર જ ચાલે છે! આવું જ ઇન્વેસ્ટમેન્ટમાં હોઈ શકે. પૈસા છે. રોકાણ કરવું છે. ફાયદો શેમાં છે? મિચ્યુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝિટ કે પછી ગોલ્ડ? ભવિષ્યમાં શું થશે એના કાલ્પનિક વિકલ્પો કે શક્યતાઓ. શું સહી છે?- એ જોઈ સમજી તપાસીને નિર્ણય લઈએ તો લાભ થાય. હા, પણ વ્હોટ ઇફ્સ સવાલોનો અતિરેક ચિંતા કરાવે. વિમાનમાં યાત્રા કરવાનું વિચારીએ અને વિચારીએ કે પાઈલોટે ક્યાંક ફ્યુઅલ વાલ્વ બંધ કરી દીધો હશે તો? આ તો કાલ્પનિક સવાલ અને શક્યતા પણ નહીંવત પણ.. વધારે પડતાં ‘વ્હોટ ઇફ્સ’ માનસિક બીમારી નોતરે. વ્હોટ ઇફ્સ ક્યારેક અફસોસમાં પરિણમે. કલાપીએ લખ્યું કે  ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.’ પથરો વાગે છે પણ પંખી બચી જાય છે. કવિ આનંદ થાય છે, જો કે અફસોસ પણ થાય છે કે હવે ફરી કદી પાસ મ્હારી ન આવે. પથરો ન્ ફેંક્યો હોત તો અફસોસ ન થાત. સંગીતમાં રસ ધરાવતી વ્યક્તિને ઘર ચલાવવા કારકૂનની નોકરી કરવી પડે પણ એને થાય તો ખરું કે મેં કલા સાધના કર્યે રાખી હોત તો.. વ્હોટ ઇફ્સ. તો હું પંડિત રવિશંકર હોત. અરે ભાઈ! જે છે તે છે. આમ થયું હોત તો? અને તેમ થતું હોત તો?- આપણને દુ:ખી કરી નાંખે છે.  ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? કવિ શ્રી જગદીશ જોષીની અમર રચના. આ વ્હોટ ઇફ્સ છે. આપણે આખું જીવન મળેલાં જ રહીએ એ આ પ્રશ્નનો પોઝિટિવ ઉકેલ છે. અને ન મળીએ તો જીવનભરની  વિરહ વેદના છે જ.  અમે માનીએ છીએ કે ધારો કે આમ થયું હોત તો? અને ધારો કે તેમ થયું હોત તો? જેવા પેચીદા પ્રશ્નો સરવાળે અસાધ્ય હોય છે.  

વ્હોટ ઇફ્સ મૂંઝવે તો શું કરવું? જે આપણાં કંટ્રોલમાં હોય એની પર ધ્યાન કેન્દ્રિત કરવું. બાકી ડીફેન્ડ કરેલો દડો સ્ટમ્પને ધરાર અડી જ જાય તો કોઈ શું કરી શકે? ખરાબ થઈ થઈને શું થશે? અરે ભાઈ, હાર્યા પણ  બે ટેસ્ટ મેચ હજી બાકી હૈ મેરે દોસ્ત! નેગેટિવ વિચારને ચેલેન્જ કરો. મિત્રો, સગાઓ, કોચ કે ચિકિત્સકની મદદ લો. તેઓ એને માટે જ છે. એક સરસ શબ્દ છે માઇન્ડફુલનેસ. અત્યારે કરવાનું છે એની ઉપર જ માઇન્ડ કેન્દ્રિત કરો. અત્યારે સિરાજે નેટ પ્રેક્ટિસ કરવાની છે. જો ચલા ગયા ઉસે ભૂલ જા. દરેક વ્યક્તિના કોઈ ને કોઈ સિદ્ધાંત હોય છે. એ કરવું જે આપણાં સિદ્ધાંત સાથે સુસંગત હોય. બાકી હરિ હરિ!  

શબ્દ શેષ:

“ઓત્તારીનો ઉદ્ગાર વ્હોટ ઇફ્સના સવાલ કરતાં સારો.” -અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized

To the cold December heaven 

Inline image

To the cold December heaven 
Came the pow Sun was sinking Behind the purple bars. 

—Charles Dawson Shanly,

 Irish-born Canadian poet (1811-75)

ale Moon and the stars, As the yell

Leave a comment

Filed under Uncategorized

બંને સ્વીકારું હુંબંને સ્વીકારું હું…હરીશ દાસાણી.જી

  • બંને સ્વીકારું હુંબંને સ્વીકારું હું….
    ———
    યોગનો ભોગ છે.
    ભોગનો યોગ છે. યોગ સાથેનો ભોગ –  ગીતાના બધા જ અધ્યાયના શિર્ષકોની પાછળ યોગ શબ્દ પ્રયોજીને એવું બતાવવામાં આવ્યું કે જીવનનું લક્ષ્ય ભોગ નહીં પણ યોગ છે.બંને સ્વીકારું હું.    ખૂબ સુંદરગીતા અનુસાર પરમાત્માની પ્રસન્નતા થાય એવા અનુસંધાનપૂર્વકના કર્તવ્યમાત્રનું નામ ‘યજ્ઞ’ છે. યજ્ઞ પ્રક્રિયામાં પરમાત્માને હવિ સમર્પણ કરવું એ યજ્ઞ છે. યજ્ઞમાં સાક્ષાત્‌પરમાત્મા નથી દેખાતા પણ પરમાત્માને હું અર્પણ કરું છું, તે મારા ઈષ્ટદેવને પહોંચે છે, એવી ભાવના, શ્રદ્ધા સેવીને સાક્ષાત્‌અગ્નિમાં હોમ-સમર્પણ કરવાનું હોય છે વાસ્તવમાં મનુષ્યની સ્થિતિ તેના ઉદ્દેશ અનુસાર હોય છે, ક્રિયાને અનુસારે નહિ. યજ્ઞાર્થે કર્મ કરનારની સ્થિતિ-ચિંતવન-ક્રિયા કરતી વખતે અને ક્રિયા પૂરી થયા પછી પણ પોતાના ઉદ્દેશ એવા પરમાત્મા કે તેના ભક્તની સેવામાં રહે છે અને ચિંતવન પણ પરમાત્માનું રહે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-ત્રણેય શરીરોથી થવાવાળાં તમામ કર્મો બીજા ભક્તના હિત માટે જ થાય, પોતાને માટે નહિ. કર્મ બીજાને માટે અને યોગ પોતાને માટે થાય છે. આસક્તિ છોડીને કર્મનું આચરણ કરો. . સત્‌અસત્‌નો વિચાર કરવામાં અસમર્થ પશુ, વૃક્ષ વગેરે દ્વારા સ્વાભાવિક પરોપકાર થાય છે; પરંતુ મનુષ્યને તો ભગવત્‌કૃપાથી વિશેષ વિવેકશક્તિ મળી છે. આથી જો તે પોતાના વિવેકને મહત્ત્વ આપીને અકર્તવ્ય કર્મ ન કરે તો તેના દ્વારા પણ સ્વભાવિક લોકહિતાર્થે કર્મો થઈ શકે છે. Show original messageસાધુવાદ મા હરીશ દાસાણી.જી

Leave a comment

Filed under Uncategorized

બંને સ્વીકારું હું

STOP BREATHING: This 1-Minute Skill Is 1000 Times More Powerful Than Normal Breathing – Babaji

Leave a comment

Filed under Uncategorized