જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય?
……એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”
———
ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-લોયા 03
આજકાલ અમદાવાદ માં ઠંડી અને સત્સંગ નું જોર ભરપૂર છે….આપણે તો સવાર સાંજ બસ સત્સંગ ને રંગે જ રંગાયેલી હોય છે…..પ્રત્યક્ષ સત્પુરુષ અને એમના થકી પ્રગટ મહારાજ સાક્ષાત હોય ત્યાં સત્સંગ માં ખોટ રહે???? તો ચાલો…આ બધું જેના કારણે છે…જેના અર્થે છે…તેના જીવભરી ને દર્શન કરીએ….





સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..મન હરિ માં સહેજે જ જોડાઈ ગયું….એ પછી યુવક દ્વારા ” મરમાળી મૂર્તિ માવ ની…..” પ્રેમાનંદ સ્વામી રચિત મૂર્તિ નું પદ રજૂ થયું…અને ભગવાન ની એ મનમોહક મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…..કે જેના એક પળ ના દર્શન થી અખંડ સુખ ની છોળો ઉછળતી….! એ પછી એક યુવક દ્વારા ” આ દેહ થી શુ ન થાય રે….પ્રમુખ/મહંત સ્વામી ને કાજે…..” સદગુરુ કોઠારી સ્વામી રચિત પદ રજૂ થયું અને લોયા નું 3 જુ વચનામૃત યાદ આવી ગયું..જેમાં શ્રીજી કહે છે કે…..”જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”……! વાહ….! એ પછી એક યુવક દ્વારા ” દિવ્ય છે …દિવ્ય છે રે…સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે….” પદ રજૂ થયું. સત્પુરુષ નો જે જીવ ને યથાર્થ સબંધ થયો તે બ્રહ્મરૂપ થયા વગર રહેજે જ નહીં…..જેમ લોઢા ને પારસમણિ સ્પર્શે અને એ હેમ માં બદલાઈ જાય તેમ આ પરિવર્તન થાય છે…! આપણ ને તો આવા સત્પુરુષ સાક્ષાત મળ્યા છે…..બસ એમની પ્રાપ્તિ ની પ્રતીતિ કરવા ની છે…!
એ પછી ઉત્તરાયણ ઝોળી પર્વ નું સુવર્ણ સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..”આ દેહ થકી શુ ન થાય રે…” મધ્યવર્તી વિચાર હેઠળ વીડિયો અને પછી એના પર પૂ. સંતો દ્વારા નિરૂપણ થયું…..જોઈશું સારાંશ ….
- આપણ ને જે પ્રાપ્તિ થઈ છે ..એની વાત બીજા ને ન કરી શકીએ….તો આપણી પ્રાપ્તિ કાચી કહેવાય…તુજ સંગ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાચો….!! આપણા સંપ્રદાય માં શંકર ભગત નો સત્સંગ નો ખટકો ખબર જ છે….! લોકલાજ થી ડરી ને આપણે આવા સર્વપરી સત્સંગ ની વાત કરતા અચકાઈ એ છીએ….જે ન થવું જોઈએ…! બીજું…સત્સંગ ની મર્યાદા માં રહેવાતું નથી….લગ્ન આદિક રિવાજો માં ગજા બહાર ખર્ચ કરાય છે….જે યોગ્ય નથી…! લોકલાજ નડે છે…સત્સંગ માં આજ્ઞા પાળવા માં…..આપણી આળસ, સંગ ,નિષ્ઠા ની મોળપ. એના માટે જવાબદાર છે…..!
- નિયમ ધર્મ માં શિર સાટે રહેવું- મહારાજે શિક્ષાપત્રી ની રચના કરી અને સંપ્રદાય ને નિયમ ધર્મ માં વર્તવા નો માર્ગ બતાવ્યો- નિયમ એ વર્તન ને લગતો છે…જ્યારે ધર્મ એ એમ વર્તવા નો માર્ગ છે……બહાર ની ખાણીપીણી ન લેવી એ નિયમ છે તો નિઃસ્વાદી પણુ એ ધર્મ છે….મહારાજ ના સમય માં પણ આવા ભક્તો હતા અને આજે પણ દિલીપભાઈ જોશી , અમેરિકા ના દર્શનભાઈ શાહ, ઓસ્ટ્રેલિયા ના શુભ પટેલ જેવા અનેકો હરિભક્તો છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય…છતાં નિયમ ધર્મ માં સહેજે બાંધછોડ કરતા નથી….! એ જ સત્પુરુષ અને ભગવાન ના રાજીપા ની ચાવી છે…
- ગુરુ નું જ્ઞાન વિશ્વે વધારીએ….દાસાનુંદાસ પણું નિભાવીએ- પ.પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ કહ્યું કે- આપણા સંપ્રદાય માં અનેકો હરિભક્તો થઈ ગયા અને આજે પણ છે કે જેમણે ભગવાન અર્થે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું….લોકલાજ ની કોઈ પરવા કરી નહીં…ઉપાસના જ્ઞાન દ્રઢ કર્યું અને પાકા નિષ્ઠાવાન સત્સંગી થયા…અનેકો ઉપાધિઓ પણ સહન કરી…..શિર સાટે સત્સંગ અને સિદ્ધાંત નો પક્ષ રાખ્યો….પોતાના સ્વભાવ છોડ્યા….વ્યસન છોડ્યા…! સત્સંગ એટલે સત્પુરુષ…..જેના પ્રભાવ થી જગતભર માં આટલું મોટું પરિવર્તન આવે છે….માટે જ એમનામાં સાંગોપાંગ જોડાઈ જવું…..એમની મરજી મુજબ નિયમ ધર્મ દ્રઢ થશે….અને સત્સંગ સફળ થશે…!આપણું જીવન સત્સંગ માં એવું પાકું રાખવું કે બીજા ને આપણ ને જોઈને સત્સંગી થવા ની પ્રેરણા મળે.
ઉપરોક્ત વર્ણવ્યા એવા અમુક હરિભક્તો ના જીવન પ્રસંગો નું વર્ણન એક સંવાદ દ્વારા રજૂ થયું….ગુણાતીતાનંદ સ્વામી ના સમય ના ગોવિંદ ભક્ત નો પ્રસંગ રજૂ થયો…

એ પછી અન્ય એક સંવાદ માં – રઢુના કલ્યાણ દાસ નો પ્રસંગ રજૂ થયો….

એ પછી સભામાં પ.પૂ. સ્વામીશ્રી નું આગમન થયું….અને અન્ય એક સંવાદ માં ગુંદાળી ગામ ના બે હરિભક્તો – મેરામણ અને મામૈયાં પટગર નો શિર સાટે સત્સંગ નો પક્ષ રજૂ ઘયો….

અદભુત…!!
એ પછી અન્ય એક સંવાદ માં સામત પટેલ નો પ્રસંગ રજૂ થયો…..

ગઢડા માં મંદિર નિર્માણ માં ભક્તરાજ સામત પટેલે પોતાનું સર્વસ્વ -ઘરબાર -ધન સંપત્તિ એ મંદિર માટે અર્પણ કર્યું….! અદભુત….
સભા ને અંતે બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- સમર્પણ ભાવ થી ભગવાન ને સમર્પિત થવા નું છે…એ પણ ખુમારી સાથે…તો જ લેખે લાગે…!! બસ…આ જ કરવા જેવું છે….ભગવાન અને સંત અર્થે સર્વે હોમી દેવું….યા હોમ થઈ જવું…..એ જ સમર્પણ ભાવ..! મહિમા સમજ્યા હોઈએ ત્યારે આવો ભાવ થાય…બધું જ થાય…!
એ પછી પૂ. સંતો દ્વારા સ્વામીશ્રી નું હારતોરા થી સ્વાગત થયું….
જાહેરાત થઈ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણ ને દિવસે સવારે 6 થી 8 ઝોળી ઉત્સવ ઉજવાશે…..13 મી એ કેશવ સ્મૃતિ ઉત્સવ ઉજવાશે…સમય સાંજે 5.30……અને 16 મી એ સવારે 10 વાગે બાપા અહીં અમદાવાદ થી સતત બે મહિના સર્વે ને દિવ્ય દર્શન લાભ આપી …અટલાદરા માટે વિદાય લેશે….
આજની સભાનો એક જ સાર હતો……કે જે ભગવાન ના થયા છે …ભગવાન એમનો જ થયો છે….માટે જ આ દેહ…આ જીવ…આપણું સર્વસ્વ એ શામળિયા ને અર્પણ કરી એને જીતી લેવો…..!! એનું જ આપેલું એને આપવા નું છે…..આપણું ક્યાં કાઈ જાય છે..???
આ જ સમજદારી છે…..મોક્ષ નો માર્ગ છે….હરિ જીત્યા નો માર્ગ છે….
જય જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….
રાજ


































